Skip to main content

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ

  Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ


શિબિરમાં હ્રદય, દાંત, આંખ, હાડકાં અને ચામડી સહિતના રોગના કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી

સુરતના માંડવી તાલુકાના જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી.


              તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.                                


            સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. ખુશાલ દેસાઈ, ડૉ.રંજનબેન દેસાઈ, ડૉ.મનસુખભાઈ, ડૉ.નટવર વસાવા, ડૉ. આનંદ પટેલ, ડૉ.અમી પટેલ, ડૉ. બિપિન પટેલ અને ડૉ.અતુલ દેવાએ સારવાર આપી હતી.



Comments