Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Porbandar|Ranavav| Kutiyana: પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો

    Porbandar|Ranavav| Kutiyana: પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો

નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, નશાબંધી વિષય વકૃત્વ, નિબંધ, રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરાયું 

દિકરીઓ આવનાર રક્ષાબંધન, જન્મ દિવસ, અન્ય તહેવારો/ઉત્સવમાં કોઇ ભેટ આપવાનું કહે તો પહેલા પ્રોમિશ કરાવી વ્યશન છોડવા બાબતની ભેટ માંગજો : અધિક્ષકશ્રી

પોરબંદર, તા. ૩૧ :

પોરબંદર આદર્શ નિવાસી શાળા (કન્યા) ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો.

અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ તેમજ આદર્શ નિવાસીશાળા (કન્યા) સ્કુલના સંયુક્ત ઉપક્રમે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, નશાબંધી વિષય વકૃત્વસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ નિવાસી શાળા પ્રિન્સીપાલ શ્રી એ.એમ કરમટાએ નશાબંધી ખાતાનો પરિચય આપી, નશાબંધી શા માટે અર્નીવાર્ય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શાળાના વિધાર્થીનીઓએ 'નશો નાશનું મુળ છે" "નશો બરબાદી નોતરે' જેવા વિષય ઉપર વક્રૃત્વ અને નિબંધ સ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કર્યા હતા. વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ યોજી હતી. નશાબંધી ખાતાના અધીક્ષક શ્રી પી.આર ગોહિલે ''વ્યશનમુક્ત ભારત અભિયાન' માં કેવી રીતે મદદ થઇ શકે તે અન્વયે જણાવ્યુ કે, દિકરીઓ આવનાર રક્ષાબંધન, જન્મ દિવસ, અન્ય તહેવારોમાં ઉત્સવમાં કોઇ ગીફ્ટ આપવાનું કહે તો પહેલા પ્રોમિશ કરાવી વ્યશન છોડવા બાબતની ગીફ્ટ માંગજો અને જીદ કરી આ ગીફ્ટ લેજો. દિકરી કેવી રીતે પરીવાર, કુટુંબને વ્યશન છોડાવે તેવા ઉદાહરણો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 વ્યશન કરવાથી નુકસાની વિશે સવિસ્તૃત માહિતી આપી હતી. અગાઉ આ સ્કુલ ખાતે નશાબંધી ખાતાએ જે કાર્યક્રમ કરવામાં આવ્યો, તેનું ફોલોપ લીધું હતું. અને હવે પછી તમામ વિધાર્થીઓને વ્યશન નહી કરવા તેમજ પરીવાર, પાડોશી, મિત્રો એમ કૂલ ૦૫ જણાને વ્યશન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા લેવવાડી હતી, અંતે સમગ્ર કાર્યક્રમમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને નશાબંધી ખાતા દ્રારા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન શાળાના વિધાર્થી બહેનોની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતું.

આ નશાબંધી કાર્યક્રમમાં નશાબંધી ખાતાના  તેમજ આદર્શ નિવાશી શાળાનો સ્ટાફગણ પણ હાજર રહ્યો હતો



Comments