Skip to main content

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

સુરત: કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

 સુરત: કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્કીટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ફળો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેરી વૃક્ષમહિમા રજૂ કર્યો હતો. ફૂલો અને પાંદડાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા. શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રીમતી તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે આપણે જેમ માતા-પિતા, પરિવારજનોની કાળજી રાખીએ છીએ, તેમ વૃક્ષોને સ્વજન-પરિવારજન ગણી તેની માવજત કરવી જોઈએ. સ્વાગત પ્રવચનમાં પ્રાચાર્ય રાજેશ કુમારે વૃક્ષની વાર્તા સંભળાવી જણાવ્યું કે, વૃક્ષો માનવજાતિ માટે ઉપકારક છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષો વાવી ઉછેર કરવો આવશ્યક છે. કાર્યક્રમના સંયોજક શ્રીમતી દક્ષા ગુપ્તા, સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કર્યું હતુ.

કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી --------- શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં...

Posted by Information Surat GoG on Monday, July 8, 2024

Comments