Skip to main content

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

મહુવા (સુરત) :પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ મુલાકાત લીધી

  મહુવા (સુરત) :પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ મુલાકાત લીધી

પ્રેરણા પ્રવાસે આવેલા ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યાઃ પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ વ્યાપ વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના આત્મ પ્રોજેકટ દ્વારા જાબુધોડા તાલુકા આત્માના યોગેન્દ્ર સોલંકીના નેઝા હેઠળ ૫૪ જેટલા પ્રાકૃતિક કૃષિકારોએ પ્રેરણા પ્રવાસ અર્થે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ખાતે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે મુલાકાત લઈને તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતેના અનુભવી કૃષિકારશ્રી ભરતભાઈ નાનુભાઈ પટેલે બાગાયતી પાક, કપાસ, જુવાર, તુવેર,શાકભાજી.મસાલાપાક પાકમાં જીવામૃત, ધનજીવામૃત, ખાટી છાસ, ગૌમૂત્ર, ગૌબર, ગૌ-કૃપા અમૃતમ કલ્ચર પ્રયો, આંબાકલમ ઉછેરની સચોટ માહિતી આપી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી જીજ્ઞાસુભાઈ ભરતભાઈ પટેલ તથા હર્ષ ભરતભાઈ પટેલે મોડેલ ફાર્મ વિઝીટ કરાવી હતી. ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે તે અંગે વિગતો સાથે ડેમોટેશન નિહાળ્યું હતું.

પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ...

Posted by Information Surat GoG on Monday, July 8, 2024

Comments