Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ

તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ


શૌર્યચક્રથી સન્માનિત મુકેશ ગામીત સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણારૂપ -આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

મુકેશજીના સન્માન સમારોહમાં આમંત્રિત કરવા બદલ મંત્રી શ્રી હળપતિએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા 

માહિતી બ્યુરો, તાપી તા. ૧૩ :- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રંગઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શૌર્યચક્રથી સન્માનિત એવા ભારત માતાના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. 

આ પ્રસંગે મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું કે, દેશની સરહદને સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબૂજ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. આ અસાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સન્માન સમારોહ આમંત્રિત મંત્રીશ્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે,શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત એવા મુકેશભાઈ ગામીતના સન્માનની મને જે તક મળી છે તે મારા માટે જીવનભર યાદગાર ક્ષણ બની રહેશે.

આ પ્રસંગે તાપી જિલ્લા સહિત ભારત દેશનું ગૌરવ વધારનાર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના શ્રી મુકેશ ગામીતે વર્ષ ૨૦૨૧ માં શ્રીનગર ખાતે કરાયેલા સર્ચ ઓપરેશનની યાદોને ફરી એકવાર ગ્રામજનો સમક્ષ સાજા કરી હતી. ગ્રામજનોએ પણ ભારતના સપૂતની શૌર્યગાથા રસપૂર્વક સાંભળીને ગૌરવની લાગણી અનુભવી હતી. જ્યાનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું.

શ્રી મુકેશ ગામીતના સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં અર્ધલશ્કરી સંગઠન જવાનો, પૂર્વજવાનો,ઉપસ્થિત અન્ય પદાધિકારીઓ,હોદ્દેદારો,શૌર્ય ચક્ર પુરસ્કૃત મુકેશભાઈ ગામીતના પરિવારજનો, સગાસંબંધીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. 

Comments