Skip to main content

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો.

કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો.

કુકરમુંડા । કુકરમુંડા અડીને આવેલ મહારાષ્ટ્ર નંદુરબારના વાલ્હેરી ગામે સાતપૂળા ગીરીમાળામાંથી નીકળતી વલ્હેરી નદીનો 30 ફૂટ ઊંચાઈથી વહેતો ધોધ હાલ શરૂ થઈ જતાં જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સહેલાણીઓ આનંદ માણવા માટે મુલાકાત લેવાનું શરૂ થઈ ગયું છે. રોજના સો જેટલા લોકો આવી રહ્યા છે. સોળેકળાએ ખીલી ઉઠેલ ધોધનું સૌંદર્ય માણવા લોકો સવારથી સાંજ સુધી આવતા હોવ છે. પરંતુ દુખની વાત છે કે, વર્ષો બાદ પણ અહીં સુવિધાના નામે કશું જ નથી. પરિવાર સાથે ધોધ પર જવા માટે, પહેલાથી જ જરૂરિયાતની વસ્તુ સાથે લેવાનું ભૂલવું નહી. જેથી પિકનિક સુખદ બની રહે. માટે ખાસ કરીને કોઈ એવું જોખમ લેવું નહીં, જેનાથી દુઃખદ અનુભવ સહન કરવો પડે. 
કુકરમુંડાથી ધોધ માત્ર 10 કિમી દુર

સાતપૂળા ગીરીમાળામાં આવેલ ધોધ જોવા માટે કુંકરમુંડાથી પહોંચવું અત્યંત સરળ છે. અહીંથી માત્ર 10 કીમીના અંતરે ધોધ આવેલ છે. જ્યારે સુરતથી આશરે 200 કિલોમીટરનું અંતર છે. વ્યારાથી સોનગઢ થઈ અહીં પહોંચી શકાય છે. આ ઉપરાંત ભરૂચથી નેત્રંગ થઈ અક્કલકુવા થઈને આશરે 160 કિલોમીટરનું અંતર કાપીને જઈ શકાય છે. જ્યારે મહારાષ્ટ્રના નંદુરબારથી આશરે 60 કિલોમીટરનું અંતર કાપીને આ રમણીય ધોધ પર પહોચી શકાય છે.

ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સ્થાનિક લોકોની માગ

આ ધોધને વધુ વિકસાવવા માટે સરકાર આ સ્થળ માટે જરૂરી પ્રોસીજર કરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જરૂર છે. વિકાસ કરે તો, ધોધનો સુંદર નજારો તો ખરો જ, પણ જોવા આવતા લોકો રાત્રી રોકાણ પણ કરી સાતપૂળા ગિરિમાળાનો નજારો પણ માણી શકે. ગ્રામજનો પણ નાની-મોટી રોજગારીનો લાભ મળી શકે. » રામસીંગ ભાઈ, સ્થાનિક, વાલ્હેરીગામ

Comments